-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં આજે 6 ડિસે.ના રોજ દાહોદ ખાતે આદિવાસીઓની જંગી સભાને સંબોધતાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના પ્રહાર કે મોદી સરકાર અમીરો અને ઉદ્યોગપતિઓ માટે છે તેનો જવાબ આપતાં કહ્યું કે મારી સરકારે ત્રણ-સાડા ત્રણ વર્ષમાં જે 5 કરોડ ટોઇલેટ બનાવ્યાં તે મેં અમીરો માટે બનાવ્યાં છે? ના ના, તમે મને કહો કે આ સરકારે બનાવેલા ટોઇલેટમાં અદાણી અને અંબાણી જાય છે? આ 5 કરોડ ટોઇલેટ ગરીબો માટે બનાવ્યાં જેથી તેઓ પણ એક સારૂ જીવન જીવી શકે. ટોઇલેટના અભાવે ગામડાઓમાં ઘરની મહિલાઓને અંધારૂ પડે ત્યાં સુધી રાહ જોવી પડતી હતી અને તેઓ સહન કરતી હતી. 5 કરોડ ટોઇલેટ બનાવીને મારી સરકારે એ લાચાર મહિલાઓના ચહેરા પર ખુશી લાવવાનું કામ કર્યું ત્યારે કોંગ્રેસ કહે છે કે મારી સરકાર અમીરો માટે છે. બોલો ભાઇઓ-બહેનો, આમાં ક્યાં અમીરો આવ્યાં ? એવો પ્રતિપ્રશ્ન પણ તેમણે કર્યો હતો.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં આજે 6 ડિસે.ના રોજ દાહોદ ખાતે આદિવાસીઓની જંગી સભાને સંબોધતાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના પ્રહાર કે મોદી સરકાર અમીરો અને ઉદ્યોગપતિઓ માટે છે તેનો જવાબ આપતાં કહ્યું કે મારી સરકારે ત્રણ-સાડા ત્રણ વર્ષમાં જે 5 કરોડ ટોઇલેટ બનાવ્યાં તે મેં અમીરો માટે બનાવ્યાં છે? ના ના, તમે મને કહો કે આ સરકારે બનાવેલા ટોઇલેટમાં અદાણી અને અંબાણી જાય છે? આ 5 કરોડ ટોઇલેટ ગરીબો માટે બનાવ્યાં જેથી તેઓ પણ એક સારૂ જીવન જીવી શકે. ટોઇલેટના અભાવે ગામડાઓમાં ઘરની મહિલાઓને અંધારૂ પડે ત્યાં સુધી રાહ જોવી પડતી હતી અને તેઓ સહન કરતી હતી. 5 કરોડ ટોઇલેટ બનાવીને મારી સરકારે એ લાચાર મહિલાઓના ચહેરા પર ખુશી લાવવાનું કામ કર્યું ત્યારે કોંગ્રેસ કહે છે કે મારી સરકાર અમીરો માટે છે. બોલો ભાઇઓ-બહેનો, આમાં ક્યાં અમીરો આવ્યાં ? એવો પ્રતિપ્રશ્ન પણ તેમણે કર્યો હતો.