પીએમ મોદી 31મી ઓક્ટોબરના રોજ સરદાર સરોવર પાસે બની રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કરશે. 3000 કરોડના ખર્ચે તૈયાર થનાર લોખંડી પુરુષ સરદાર પટેલનું આ 182 મીટર ઉંચું સ્ટેચ્યુ દુનિયાનું સૌથી વિશાળ સ્ટેચ્યુ હશે. આ સાથે પીએમ મોદી 2019ની લોકસભા ચૂંટણીનું પ્રચાર અભિયાન પણ શરુ કરશે. આ સ્ટેચ્યુનું ખાતમૂર્હુત 31 ઓક્ટોબર, 2013ના રોજ પીએમ મોદી દ્વારા જ કરવામાં આવ્યું હતું.