દેશના બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરની 127મી જન્મજયંતી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા આપી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ડૉ.બાબા સાહેબે સમાજના ગરીબ અને કમજોર વર્ગ સુધીના લોકોને આગળ વધવાની આશા જગાવી હતી. દેશનુદેશનું બંધારણ ઘડનાર ડૉ.બાબાસાહેબ પ્રતિ આપણે હંમેશાં આભારી રહીશુ. આંબેડકર જયંતીને લઈને દેશભરમાં કાર્યક્રમો યોજાયા છે. દેશભરમાં વિવિધ શહેરોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે.