પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના અન્ય સાંસદો સાથે દિવસભરનો ઉપવાસ પર છે. આ ઉપવાસ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીમાં વિક્ષેપ નાખવાના વિપક્ષના વિરોધમાં થઇ રહ્યા છે. પ્રધાનમંત્રી પોતાના કાર્યાલયમાં કામ કરતાં કરતાં ઉપવાસ કરી રહ્યા છે. પાર્ટીનું કહેવું છે કે, વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસને ખુલ્લી પાડવા માટે આ રસ્તો અપનાવાયો છે. કોંગ્રેસના વિરોધના કારણે સંસદનું બજેટસત્ર ચાલી શક્યું ન હતું.