-
વિધાનસભા ચૂંટણી પ્રચારના ભાગરૂપે ગુજરાતની મુલાકાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચ આમોદની પ્રજાને યાદ અપાવ્યું હતું કે કોંગ્રેસના રાજમાં ભરૂચ અને આમોદમાં કેવા હુલ્લડો થતાં હતા, કેવા તોફાનો થતાં હતાં એવા દિવસો ફરી આવશે જો ગુજરાતમાં કોંગ્રેસ આવશે તો. તેમણે ભરૂચના મતદારો સહિત સમગ્ર ગુજરાતના મતદારોને અપીલ કરતાં કહ્યું હતું કે ગુજરાતની કાયમી શાંતિ,સમૃધ્ધિ માટે ભાજપ જરૂરી છે. 22 વર્ષ ભાજપે ગુજરાતમાં શાંતિના વર્ષો આપ્યા અને જો કોંગ્રેસ આવશે તો ફરીથી ગુજરાત કાયમી અશાંતિ, તોફાનો, હુલ્લડો અને કરફ્યુમાં જકડાઇ જશે. તેમણે ભાજપને જંગી બહુમતિથી વિજયી બનાવવાની પણ અપીલ કરી હતી.
-
વિધાનસભા ચૂંટણી પ્રચારના ભાગરૂપે ગુજરાતની મુલાકાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરૂચ આમોદની પ્રજાને યાદ અપાવ્યું હતું કે કોંગ્રેસના રાજમાં ભરૂચ અને આમોદમાં કેવા હુલ્લડો થતાં હતા, કેવા તોફાનો થતાં હતાં એવા દિવસો ફરી આવશે જો ગુજરાતમાં કોંગ્રેસ આવશે તો. તેમણે ભરૂચના મતદારો સહિત સમગ્ર ગુજરાતના મતદારોને અપીલ કરતાં કહ્યું હતું કે ગુજરાતની કાયમી શાંતિ,સમૃધ્ધિ માટે ભાજપ જરૂરી છે. 22 વર્ષ ભાજપે ગુજરાતમાં શાંતિના વર્ષો આપ્યા અને જો કોંગ્રેસ આવશે તો ફરીથી ગુજરાત કાયમી અશાંતિ, તોફાનો, હુલ્લડો અને કરફ્યુમાં જકડાઇ જશે. તેમણે ભાજપને જંગી બહુમતિથી વિજયી બનાવવાની પણ અપીલ કરી હતી.