-
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને આજે 25 ડિસે.ના રોજ તેમની 94મી જન્મ જયંતીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના સંખ્યાબંધ નેતાઓએ દિલ્હી ખાતે અટલજીના સ્મારક સદૈવ અટલ ખાતે જઇને પુષ્પાંજલિ અર્પી હતી અને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના નેતા મનમોહનસિંહે પણ સ્મારક સ્થળે જઇને નમન કર્યા હતા. અટલજીની સમાધિને કમળના ફુલના આકારમાં બનાવવામાં આવી છે. તેમના સમાધિ સ્થળ માટે 1.5 એકર જમીનનો ઉપયોગ કરાયો છે. દિલ્હી ઉપરાંત દેશ આખામાં જ્યાં જ્યાં ભાજપની સરકારો છે ત્યાં પણ મુખ્યમંત્રીઓ અને નેતાઓ દ્વારા અટલજીને યાદ કરીને શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી હતી.
-
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને આજે 25 ડિસે.ના રોજ તેમની 94મી જન્મ જયંતીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના સંખ્યાબંધ નેતાઓએ દિલ્હી ખાતે અટલજીના સ્મારક સદૈવ અટલ ખાતે જઇને પુષ્પાંજલિ અર્પી હતી અને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના નેતા મનમોહનસિંહે પણ સ્મારક સ્થળે જઇને નમન કર્યા હતા. અટલજીની સમાધિને કમળના ફુલના આકારમાં બનાવવામાં આવી છે. તેમના સમાધિ સ્થળ માટે 1.5 એકર જમીનનો ઉપયોગ કરાયો છે. દિલ્હી ઉપરાંત દેશ આખામાં જ્યાં જ્યાં ભાજપની સરકારો છે ત્યાં પણ મુખ્યમંત્રીઓ અને નેતાઓ દ્વારા અટલજીને યાદ કરીને શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી હતી.