-
મહારાષ્ટ્રના નાસિકના એક ખેડૂતે તેની કૃષિ ઉપજ ડુંગળીના 750 કિલોના ભાવ એટલા ઓછા મળ્યા કે મળેલી રકમ 1064નો સીધો મની ઓર્ડર વડાપ્રધાન નરેન્જ્ર મોદીના કાર્યાલયને કર્યો. અને તે પછી પીએમઓ દ્વારા સ્થાનિક તલાટી અને સરપંચથી લઇને કલેક્ટર સુધી આ ખેડૂતની જે તપાસ કરવામાં આવી તે, એને એટલા ભાવ કેમ ઓછા મળ્યા તેની નહીં પણ આ ખેડૂત રાજકીય રીતે કઇ પાર્ટી સાથે જોડાયેલો છે..! એક અહેવાલ અનુસાર આવી તપાસથી પીએમઓને મનીઓર્ડર કરનાર ખેડૂત અને ગામના સરપંચ સહિત સૌ કોઇ નારાજ થયા છે. જો કે આ ખેડૂતને સંતોષ એ છે કે ગુસ્સામાં આવીને તેમણે પીએમઓને મનીઓર્ડર તો કર્યો પણ સરકારી તંત્રે તેની તપાસ તો કરી અને હવે કૃષિ ઉપજના સારા ભાવ જાહેર કરે તો સારૂ...!
-
મહારાષ્ટ્રના નાસિકના એક ખેડૂતે તેની કૃષિ ઉપજ ડુંગળીના 750 કિલોના ભાવ એટલા ઓછા મળ્યા કે મળેલી રકમ 1064નો સીધો મની ઓર્ડર વડાપ્રધાન નરેન્જ્ર મોદીના કાર્યાલયને કર્યો. અને તે પછી પીએમઓ દ્વારા સ્થાનિક તલાટી અને સરપંચથી લઇને કલેક્ટર સુધી આ ખેડૂતની જે તપાસ કરવામાં આવી તે, એને એટલા ભાવ કેમ ઓછા મળ્યા તેની નહીં પણ આ ખેડૂત રાજકીય રીતે કઇ પાર્ટી સાથે જોડાયેલો છે..! એક અહેવાલ અનુસાર આવી તપાસથી પીએમઓને મનીઓર્ડર કરનાર ખેડૂત અને ગામના સરપંચ સહિત સૌ કોઇ નારાજ થયા છે. જો કે આ ખેડૂતને સંતોષ એ છે કે ગુસ્સામાં આવીને તેમણે પીએમઓને મનીઓર્ડર તો કર્યો પણ સરકારી તંત્રે તેની તપાસ તો કરી અને હવે કૃષિ ઉપજના સારા ભાવ જાહેર કરે તો સારૂ...!