-
24 સપ્ટે.2002ના રોજ ગાંધીનગરના જાણીતા અક્ષરધામ મંદિર પર થયેલા આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ ગણાતાં પૈકીનો એક આરોપી અબ્દુલ રશીદ અજમેરી સાઉદી અરેબિયાના રિયાધથી વિમાન દ્વારા આજે અમદાવાદ આવી રહ્યાંની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા વિમાની મથકે જ ધરપકડ કરી લેવામાં આવ્યો હતો. અને પોલીસ રિમાન્ડ માટે કોર્ટમાં લઇ જવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. પોલીસે દાવો કર્યો હતો કે ગોધરા કાંડનો બદલો લેવા અક્ષરધામ પર પાક.ના બે યુવા આતંકીઓ દ્વારા હુમલો કરાયો હતો તેનું કાવતરૂ ઘડનારાઓમાંનો એક આ આરોપી પણ છે. આ હુમલામાં 32 જેટલા હરિભક્તો માર્યા ગયા હતા.જ્યારે એનએસજી કમાન્ડોની વળતી કાર્યવાહીમાં આ આતંકીઓ માર્યા ગયા હતા.
-
24 સપ્ટે.2002ના રોજ ગાંધીનગરના જાણીતા અક્ષરધામ મંદિર પર થયેલા આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ ગણાતાં પૈકીનો એક આરોપી અબ્દુલ રશીદ અજમેરી સાઉદી અરેબિયાના રિયાધથી વિમાન દ્વારા આજે અમદાવાદ આવી રહ્યાંની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા વિમાની મથકે જ ધરપકડ કરી લેવામાં આવ્યો હતો. અને પોલીસ રિમાન્ડ માટે કોર્ટમાં લઇ જવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. પોલીસે દાવો કર્યો હતો કે ગોધરા કાંડનો બદલો લેવા અક્ષરધામ પર પાક.ના બે યુવા આતંકીઓ દ્વારા હુમલો કરાયો હતો તેનું કાવતરૂ ઘડનારાઓમાંનો એક આ આરોપી પણ છે. આ હુમલામાં 32 જેટલા હરિભક્તો માર્યા ગયા હતા.જ્યારે એનએસજી કમાન્ડોની વળતી કાર્યવાહીમાં આ આતંકીઓ માર્યા ગયા હતા.