અમદાવાદના બહુચર્ચિત લખુડી હાઉસિંગ કૌભાંડમાં ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવાને બદલે ન્યાય મેળવવા માટે લડત કરનારાઓને પોલીસ સ્ટેશને હાજર થવા ફરમાન થયું છે. અમદાવાદના બહુચર્ચિત લખુડી તળાવના મકાનથી વંચિત 11 પરિવારોએ ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી આપી હતી. તે સહિને સોમવારે સવારે નારણપુરા પોલીસે હાજર થવા ફરમાન કર્યું હોવાનું લખુડી પીડીત બળદેવભાઈ દેસાઈએ જણાવ્યું હતું.