મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના મહિદપુર એસડીએમ દ્વારા દલિત સમુદાયને લઈને એક વિવાદાસ્પદ ફરમાન જાહેર કર્યું છે. મહિદપુર તાલુકાના તમામ પંચાયતોના સરપંચ સચિવને એસડીએમ દ્વારા આદેશ અપાયો છે કે ગામમાં કોઈપણ દલિત પરિવારમાં લગ્ન હોય કે દલિત વરઘોડો કાઢે તો 3 દિવસ પહેલાં પોલીસ સ્ટેશનમાં તે અંગેની જાણકારી આપે અને પોલીસ હેડ કોન્સ્ટેબલ પાસેથી તે અંગેની લેખિત સ્વીકૃતિ આપવામાં આવે.