-
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી આમ તો ગુજરાતમાં ભાજપના કાર્યક્રમોમાં ભાગ લેવા આવતાં હતા. તેમ છતાં ગુજરાત સાથે તેમનો અનેરો રાજકીય નાતો રહ્યો છે. 1995માં ભાજપમાં શંકરસિંહ વાઘેલાએ રાજકીય બળવો કર્યો ત્યારે તેનો ઉકેલ લાવવાની જવાબદારી વાજપેયીએ નિભાવી હતી. ભાજપના અન્ય નેતા એલ.કે. અડવાણી જૈન ડાયરી હવાલા કાંડમાં સંડોવાયા ત્યારે તેમણે ગાંધીનગર બેઠક ઉમેદવારી નોંધાવીને જંગી બહુમતિથી જીત્યા હતા. જો કે જીત્યા બાદ તેમણે બેઠક ખાલી કરીને લખનઉ બેઠક જાળવી રાખી હતી. ગુજરાત ભાજપમાં કેશુભાઇ પટેલ, ડો. એ.કે. પટેલ,હરિન પાઠક વગેરે. આજે પણ વાજપેયીના નજીક મનાય છે. પાઠક અને ડો. પટેલ તો વાજપેયીની સરકારમાં મંત્રીપદે પણ રહી ચૂક્યા છે.
-
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી આમ તો ગુજરાતમાં ભાજપના કાર્યક્રમોમાં ભાગ લેવા આવતાં હતા. તેમ છતાં ગુજરાત સાથે તેમનો અનેરો રાજકીય નાતો રહ્યો છે. 1995માં ભાજપમાં શંકરસિંહ વાઘેલાએ રાજકીય બળવો કર્યો ત્યારે તેનો ઉકેલ લાવવાની જવાબદારી વાજપેયીએ નિભાવી હતી. ભાજપના અન્ય નેતા એલ.કે. અડવાણી જૈન ડાયરી હવાલા કાંડમાં સંડોવાયા ત્યારે તેમણે ગાંધીનગર બેઠક ઉમેદવારી નોંધાવીને જંગી બહુમતિથી જીત્યા હતા. જો કે જીત્યા બાદ તેમણે બેઠક ખાલી કરીને લખનઉ બેઠક જાળવી રાખી હતી. ગુજરાત ભાજપમાં કેશુભાઇ પટેલ, ડો. એ.કે. પટેલ,હરિન પાઠક વગેરે. આજે પણ વાજપેયીના નજીક મનાય છે. પાઠક અને ડો. પટેલ તો વાજપેયીની સરકારમાં મંત્રીપદે પણ રહી ચૂક્યા છે.