-
હિન્દુઓની પવિત્ર અમરનાથ યાત્રા ૨૮ જુનથી શરૂ થઇ રહી છે. આ યાત્રા માટે કાશ્મિરના ખીણ પ્રદેશમાં થઇને જ રસ્તો હોવાથી અને હાલમાં શ્રીનગર,પુલવામા,શોપિયાન સહિત સંખ્યાબંધ સ્થળે આતંકી હુમલાઓ થઇ રહ્યાં છે અને રમજાનના પવિત્ર મહિનામાં પણ આતંકીઓ શાંત બેસી રહ્યાં નથી ત્યારે અમરનાથ યાત્રા પર હુમલાની શક્યતા જોવાઇ રહી છે. ગયા વર્ષે અમરનાથ યાત્રા વખતે ગુજરાતના યાત્રાળુઓની બસ પર આતંકી હુમલો થયો હતો અને 10 જેટલા યાત્રાળુઓ માર્યા ગયા હતા. આતંકવાદીઓના નિશાના ઉપર શ્રધ્ધાળુઓ અને સુરક્ષાદળો હોવાની અને તેની પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું સૂત્રોએ કહ્યું હતું.
-
હિન્દુઓની પવિત્ર અમરનાથ યાત્રા ૨૮ જુનથી શરૂ થઇ રહી છે. આ યાત્રા માટે કાશ્મિરના ખીણ પ્રદેશમાં થઇને જ રસ્તો હોવાથી અને હાલમાં શ્રીનગર,પુલવામા,શોપિયાન સહિત સંખ્યાબંધ સ્થળે આતંકી હુમલાઓ થઇ રહ્યાં છે અને રમજાનના પવિત્ર મહિનામાં પણ આતંકીઓ શાંત બેસી રહ્યાં નથી ત્યારે અમરનાથ યાત્રા પર હુમલાની શક્યતા જોવાઇ રહી છે. ગયા વર્ષે અમરનાથ યાત્રા વખતે ગુજરાતના યાત્રાળુઓની બસ પર આતંકી હુમલો થયો હતો અને 10 જેટલા યાત્રાળુઓ માર્યા ગયા હતા. આતંકવાદીઓના નિશાના ઉપર શ્રધ્ધાળુઓ અને સુરક્ષાદળો હોવાની અને તેની પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું સૂત્રોએ કહ્યું હતું.