જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસન લાદવાનાં જાહેરનામા પર હસ્તાક્ષર કરી દેતાં બુધવાર મધરાતથી જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલશાસનનો અંત આવી ગયો છે. રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદવાની ભલામણ કરતો રાજ્યપાલ સત્યપાલ મલિકનો રિપોર્ટ મળ્યા પછી સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્રીય પ્રધાનમંડળે આ નિર્ણય લીધો હતો. રાષ્ટ્રપતિનાં જાહેરનામા બાદ હવે રાજ્યની ધારાસભાની તમામ સત્તા અને અધિકારો સંસદનાં અધિકારક્ષેત્રમાં આવી ગયા છે.
જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસન લાદવાનાં જાહેરનામા પર હસ્તાક્ષર કરી દેતાં બુધવાર મધરાતથી જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલશાસનનો અંત આવી ગયો છે. રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદવાની ભલામણ કરતો રાજ્યપાલ સત્યપાલ મલિકનો રિપોર્ટ મળ્યા પછી સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં કેન્દ્રીય પ્રધાનમંડળે આ નિર્ણય લીધો હતો. રાષ્ટ્રપતિનાં જાહેરનામા બાદ હવે રાજ્યની ધારાસભાની તમામ સત્તા અને અધિકારો સંસદનાં અધિકારક્ષેત્રમાં આવી ગયા છે.