સંજય ભણસાળીની વિવાદાસ્પદ બનેલી ફિલ્મ પદ્માવતીને ભારત બહાર રિલીઝ થતી અટકાવવાની માગ કરતી અરજી ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે પદ્માવતી સામે બેફામ નિવેદનબાજી કરતા રાજકીય નેતાઓને આડે હાથ લીધાં હતાં. સરકારમાં મુખ્યમંત્રી અને મંત્રીપદે બેઠેલા નેતાઓ દ્વારા કરાતા નિવેદનોની ગંભીર નોંધ લેતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સેન્સર બોર્ડ દ્વારા પદ્માવતી ફિલ્મને સર્ટિફિકેટ આપવામાં ન આવે ત્યાં સુધી આવા લોકોએ કોઇપણ પ્રકારની ટિપ્પણીથી દૂર રહેવું જોઇએ. હજુ સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મને પ્રમાણપત્ર અપાયું નથી. તે પહેલાં કરાતા નિવેદનો કાયદાના શાસનના સિદ્ધાંતની વિરુદ્ધ છે. આ રીતે ફિલ્મની આગોતરી ધારણાઓ બાંધી શકાય નહીં. ફિલ્મ હજુ સેન્સર બોર્ડ પાસે છે ત્યારે કોઇ વ્યક્તિ કેવી રીતે કહી શકે કે, સેન્સર બોર્ડે ફિલ્મને પ્રમાણપત્ર આપવું જોઇએ કે નહીં?
સંજય ભણસાળીની વિવાદાસ્પદ બનેલી ફિલ્મ પદ્માવતીને ભારત બહાર રિલીઝ થતી અટકાવવાની માગ કરતી અરજી ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે પદ્માવતી સામે બેફામ નિવેદનબાજી કરતા રાજકીય નેતાઓને આડે હાથ લીધાં હતાં. સરકારમાં મુખ્યમંત્રી અને મંત્રીપદે બેઠેલા નેતાઓ દ્વારા કરાતા નિવેદનોની ગંભીર નોંધ લેતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સેન્સર બોર્ડ દ્વારા પદ્માવતી ફિલ્મને સર્ટિફિકેટ આપવામાં ન આવે ત્યાં સુધી આવા લોકોએ કોઇપણ પ્રકારની ટિપ્પણીથી દૂર રહેવું જોઇએ. હજુ સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મને પ્રમાણપત્ર અપાયું નથી. તે પહેલાં કરાતા નિવેદનો કાયદાના શાસનના સિદ્ધાંતની વિરુદ્ધ છે. આ રીતે ફિલ્મની આગોતરી ધારણાઓ બાંધી શકાય નહીં. ફિલ્મ હજુ સેન્સર બોર્ડ પાસે છે ત્યારે કોઇ વ્યક્તિ કેવી રીતે કહી શકે કે, સેન્સર બોર્ડે ફિલ્મને પ્રમાણપત્ર આપવું જોઇએ કે નહીં?