કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે રૂપિયા 12700 કરોડના પીએનબી કૌભાંડમાં કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી એટલા માટે ચુપ છે કેમ કે તેઓ પોતાની વકીલ દીકરીને બચાવવા માંગે છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે આ મહાકૌભાંડ જાહેર થયું તે અગાઉ જેટલીની વકીલ દિકરીને મોટી રકમ મળી હતી અને સીબીઆઈએ જેટલીની દીકરીની ફર્મ પર કેમ દરોડાં પાડ્યાં નથી એ સવાલ છે.