જ્યારે ઈન્ટરનેટ, સેટેલાઈટ અને કમ્પ્યુટરનો જમાનો નહોતો ત્યારથી આપણે ત્યાં અવકાશી વિજ્ઞાન અને ખગોળિય વિદ્યાના આધારે વરસાદનો વરતારો વ્યક્ત કરવાની પ્રાચીન પરંપરા ચાલી આવે છે. ભડલી વાક્યો સહિતની આ પ્રથા આજે પણ એટલી જ પ્રચલિત છે. હોળીની ઝાળ, અખાત્રીજ, પવનની દિશા, વનસ્પતિઓ અને પશુ-પક્ષીઓની ચેષ્ઠા, આકાશનો કસ, પ્રકૃતિની ગતિવિધિઓ વગેરેના આધારે જાણકારો દ્વારા કરાતી આગાહી અનેક વખત સચોટ સાબિત થઈ છે.
જ્યારે ઈન્ટરનેટ, સેટેલાઈટ અને કમ્પ્યુટરનો જમાનો નહોતો ત્યારથી આપણે ત્યાં અવકાશી વિજ્ઞાન અને ખગોળિય વિદ્યાના આધારે વરસાદનો વરતારો વ્યક્ત કરવાની પ્રાચીન પરંપરા ચાલી આવે છે. ભડલી વાક્યો સહિતની આ પ્રથા આજે પણ એટલી જ પ્રચલિત છે. હોળીની ઝાળ, અખાત્રીજ, પવનની દિશા, વનસ્પતિઓ અને પશુ-પક્ષીઓની ચેષ્ઠા, આકાશનો કસ, પ્રકૃતિની ગતિવિધિઓ વગેરેના આધારે જાણકારો દ્વારા કરાતી આગાહી અનેક વખત સચોટ સાબિત થઈ છે.