રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે રામ મંદીર મુદ્દે ફરી એક નિવેદન આપ્યંુ છે. તેઓએ જણાવ્યું હતું કે અયોધ્યાની એ જગ્યા પર માત્ર રામનું જ મંદીર બનીને રહેશે. અન્ય કોઇ પણ ઇમારત નહીં બને માત્ર રામ મંદીર જ બનશે. રાષ્ટ્રીય સ્વમય સેવક સંઘના વડાએ જણાવ્યું હતું કે રામ મંદિર તો ત્યાં જ બનશે કે જ્યાં તે બનવું જોઇએ.