Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાંચ સદીથી ચાલી રહેલા વિવાદ અને ૧૩૪ વર્ષથી ચાલી રહેલા કાયદાકીય વિખવાદનો બુધવારે સુખદ અંત આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બહુપ્રતિક્ષિત અને કરોડો ભારતીયોની આસ્થાના પ્રતીક સમાન રામમંદિરનાં નિર્માણ માટે અયોધ્યામાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વડા પ્રધાને ૧૨:૪૮:૦૮ કલાકે મંદિરનું ભૂમિપૂજન કર્યું અને મંદિરનિર્માણ ઝડપથી પૂરી થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. માત્ર ૩૨ સેકન્ડના શુભ મુહૂર્તમાં તેમણે મંદિરનિર્માણનો સંકલ્પ કર્યો હતો. ૪૦ મિનિટ ચાલેલી પૂજામાં તેમણે ચાંદીની નવ ઈંટો તથા દેશભરમાંથી અને દુનિયાભરમાંથી રામમંદિર બનાવવા માટે ૧૯૮૯માં આવેલી ૨.૭૫ લાખ ઈંટોમાંથી નવ ઈંટોની પૂજા કરી હતી. આ પૂજનમાં ૨૦૦૦ પવિત્ર સ્થળોની માટી અને ૧૦૦ પવિત્ર નદીઓનાં જળનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પૂજામાં કાંચીના શંકરાચાર્ય દ્વારા મોકલવામાં આવેલું યંત્ર તથા બકુલના વૃક્ષમાંથી બનાવવામાં આવેલા શંકુની સ્થાપના કરવામાં આવી હતી. તેમાં સોના અને ચાંદી સહિત નવ રત્નો મૂકવામાં આવ્યાં હતાં.
 

પાંચ સદીથી ચાલી રહેલા વિવાદ અને ૧૩૪ વર્ષથી ચાલી રહેલા કાયદાકીય વિખવાદનો બુધવારે સુખદ અંત આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બહુપ્રતિક્ષિત અને કરોડો ભારતીયોની આસ્થાના પ્રતીક સમાન રામમંદિરનાં નિર્માણ માટે અયોધ્યામાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વડા પ્રધાને ૧૨:૪૮:૦૮ કલાકે મંદિરનું ભૂમિપૂજન કર્યું અને મંદિરનિર્માણ ઝડપથી પૂરી થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. માત્ર ૩૨ સેકન્ડના શુભ મુહૂર્તમાં તેમણે મંદિરનિર્માણનો સંકલ્પ કર્યો હતો. ૪૦ મિનિટ ચાલેલી પૂજામાં તેમણે ચાંદીની નવ ઈંટો તથા દેશભરમાંથી અને દુનિયાભરમાંથી રામમંદિર બનાવવા માટે ૧૯૮૯માં આવેલી ૨.૭૫ લાખ ઈંટોમાંથી નવ ઈંટોની પૂજા કરી હતી. આ પૂજનમાં ૨૦૦૦ પવિત્ર સ્થળોની માટી અને ૧૦૦ પવિત્ર નદીઓનાં જળનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પૂજામાં કાંચીના શંકરાચાર્ય દ્વારા મોકલવામાં આવેલું યંત્ર તથા બકુલના વૃક્ષમાંથી બનાવવામાં આવેલા શંકુની સ્થાપના કરવામાં આવી હતી. તેમાં સોના અને ચાંદી સહિત નવ રત્નો મૂકવામાં આવ્યાં હતાં.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ