દર વર્ષે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાતી ઇફ્તાર પાર્ટી આ વર્ષે નહીં યોજાય કેમ કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જાતે ભવનમાં ઇફ્તાર પાર્ટી યોજવા પર પ્રતિબંધ મુકી દીધો છે. રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરી અશોક મલિકે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પદે શપથ લીધા બાદ રામનાથ કોવિંદે નિર્ણય લીધો છે કે જનતાના પૈસે કોઇ પણ જાહેર સ્થળ પર ધાર્મીક ઉજવણી નહીં કરવામાં આવે માટે આ વખતે રાષ્ટ્રપતિ ભવન ખાતે પણ ઇફ્તાર પાર્ટીનું આયોજન નથી કરવામાં આવ્યું. સાથે તેઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દરેકને ધાર્મીક તહેવારોની શુભકામના જરુર પાઠવતા રહેશે.
દર વર્ષે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાતી ઇફ્તાર પાર્ટી આ વર્ષે નહીં યોજાય કેમ કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જાતે ભવનમાં ઇફ્તાર પાર્ટી યોજવા પર પ્રતિબંધ મુકી દીધો છે. રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરી અશોક મલિકે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પદે શપથ લીધા બાદ રામનાથ કોવિંદે નિર્ણય લીધો છે કે જનતાના પૈસે કોઇ પણ જાહેર સ્થળ પર ધાર્મીક ઉજવણી નહીં કરવામાં આવે માટે આ વખતે રાષ્ટ્રપતિ ભવન ખાતે પણ ઇફ્તાર પાર્ટીનું આયોજન નથી કરવામાં આવ્યું. સાથે તેઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દરેકને ધાર્મીક તહેવારોની શુભકામના જરુર પાઠવતા રહેશે.