ચીન સાથે લદાખની ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થઈ ગયા હતા, પરંતુ ચીની સેનાને તેનાથી બે ગણુ નુકસાન થયું છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે દાવો કરતા કહ્યું કે, “ભારત શાંતિ ઈચ્છે છે પરંતુ જો કોઈ ભારત તરફ ખરાબ નજર નાખશે તો દેશ તેને જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે. આપણે દેશના 20 સૈનિકોને ગુમાવ્યા છે તો, ચીનમાં આ સંખ્યા બેગણી છે. સૌએ જોયું છે કે, ચીન સંખ્યા નથી જણાવી રહ્યું.”
રવિશંકર પ્રસાદે કહ્યું કે, આપ સૌને યાદ હશે કે ઉરી અને પુલવામાનો બદલો આપણે કઈ રીતે લીધો હતો. જ્યારે આપણા પ્રધાનમંત્રી કહે છે કે બલિદાન વ્યર્થ નહીં જાય તો તેનો કંઈક મતલબ હોય છે.
આ ઉપરાંત પ્રસાદે કહ્યું કે, અમે દેશવાસીઓના ડેટાને સુરક્ષિત રાખવા માટે ચીની એપ પર પ્રતિબંધ મૂક્યો, આ એક ડિજિટલ સ્ટ્રાઈક છે.
ચીન સાથે લદાખની ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થઈ ગયા હતા, પરંતુ ચીની સેનાને તેનાથી બે ગણુ નુકસાન થયું છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે દાવો કરતા કહ્યું કે, “ભારત શાંતિ ઈચ્છે છે પરંતુ જો કોઈ ભારત તરફ ખરાબ નજર નાખશે તો દેશ તેને જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે. આપણે દેશના 20 સૈનિકોને ગુમાવ્યા છે તો, ચીનમાં આ સંખ્યા બેગણી છે. સૌએ જોયું છે કે, ચીન સંખ્યા નથી જણાવી રહ્યું.”
રવિશંકર પ્રસાદે કહ્યું કે, આપ સૌને યાદ હશે કે ઉરી અને પુલવામાનો બદલો આપણે કઈ રીતે લીધો હતો. જ્યારે આપણા પ્રધાનમંત્રી કહે છે કે બલિદાન વ્યર્થ નહીં જાય તો તેનો કંઈક મતલબ હોય છે.
આ ઉપરાંત પ્રસાદે કહ્યું કે, અમે દેશવાસીઓના ડેટાને સુરક્ષિત રાખવા માટે ચીની એપ પર પ્રતિબંધ મૂક્યો, આ એક ડિજિટલ સ્ટ્રાઈક છે.