Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભારતીય રિઝર્વ બેંક(આરબીઆઇ)ના ગવર્નર ઉર્જીત પટેલે મોદી સરકાર સાથે બેંકના વધારાના ભંડોળને લઇને ચાલી રહેલા ભારે વિવાદના પગલે આખરે પદ પરથી રાજીનામું આપીને સરકારને આંચકો આપ્યો હતો. મોદી સરકારે બેંક પાસેથી 9 લાખ કરોડમાંથી વધારાના 3 લાખ કરોડની માંગણી કરી હતી. પરંતુ ગવર્નર તરીકે પટેલે મચક નહીં આપતાં છેવેટે સરકારે તેમની સામે કલમ-7નો ઉપયોગ કરીને ઠપકો આપતાં સરકારની હાંમાં હાં મિલાવનાર ઉર્જીત પટેલ હચમચી ગયા હતા અને તરત જ રાજીનામું આપસે એવી અટકળોને ખોટી પાડીને મામલો શાંત પડતાં જ રાજીનામું આપીને રાજકીય વમળોની સાથે વિપક્ષોને મોદી સરકાર સામે આરોપ મૂકવાનું વધુ એક હથિયાર આપ્યું છે. નોંધનીય છે કે મોદી સરકારના વિવાદી નોટબંધીના સમયે ગવર્નરપદે ઉર્જીત પટેલ હોવા છતાં તેમને વિશ્વાસમાં લેવાયા નહોતા અને બેંકોમાં જમા થઇને આરબીઆઇમાં પરત આવેલી 500-1000ની નોટો ગણવામાં આજના મશીન યુગમાં બે વર્ષનો સમય લાગ્યો હતો. તેમણે (ના)રાજીનામાંના કારણમાં રાબેતા મુજબ, અંગત કારણોસર...નું કારણ દર્શાવ્યું છે. એમ મનાય છે કે સરકાર તાજેતરમાં જેમની ચીફ ઇકોનોમિક એડવાઇઝર તરીકે નિમણૂંક કરી તે ક્રિષ્ણામૂર્તિ સુબ્રમણ્યમને ગવર્નર તરીકે વરણી કરી શકે છે.

  • ભારતીય રિઝર્વ બેંક(આરબીઆઇ)ના ગવર્નર ઉર્જીત પટેલે મોદી સરકાર સાથે બેંકના વધારાના ભંડોળને લઇને ચાલી રહેલા ભારે વિવાદના પગલે આખરે પદ પરથી રાજીનામું આપીને સરકારને આંચકો આપ્યો હતો. મોદી સરકારે બેંક પાસેથી 9 લાખ કરોડમાંથી વધારાના 3 લાખ કરોડની માંગણી કરી હતી. પરંતુ ગવર્નર તરીકે પટેલે મચક નહીં આપતાં છેવેટે સરકારે તેમની સામે કલમ-7નો ઉપયોગ કરીને ઠપકો આપતાં સરકારની હાંમાં હાં મિલાવનાર ઉર્જીત પટેલ હચમચી ગયા હતા અને તરત જ રાજીનામું આપસે એવી અટકળોને ખોટી પાડીને મામલો શાંત પડતાં જ રાજીનામું આપીને રાજકીય વમળોની સાથે વિપક્ષોને મોદી સરકાર સામે આરોપ મૂકવાનું વધુ એક હથિયાર આપ્યું છે. નોંધનીય છે કે મોદી સરકારના વિવાદી નોટબંધીના સમયે ગવર્નરપદે ઉર્જીત પટેલ હોવા છતાં તેમને વિશ્વાસમાં લેવાયા નહોતા અને બેંકોમાં જમા થઇને આરબીઆઇમાં પરત આવેલી 500-1000ની નોટો ગણવામાં આજના મશીન યુગમાં બે વર્ષનો સમય લાગ્યો હતો. તેમણે (ના)રાજીનામાંના કારણમાં રાબેતા મુજબ, અંગત કારણોસર...નું કારણ દર્શાવ્યું છે. એમ મનાય છે કે સરકાર તાજેતરમાં જેમની ચીફ ઇકોનોમિક એડવાઇઝર તરીકે નિમણૂંક કરી તે ક્રિષ્ણામૂર્તિ સુબ્રમણ્યમને ગવર્નર તરીકે વરણી કરી શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ