નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટ બેઠકમાં બુધવારે પાંચ મહત્વના પાકના ટેકાના ભાવમાં વધારો કરવા નિર્ણય લેવાયો હતો. જેમાં ધાન સહિત કુલ ૧૪ જેટલા ખરીફ પાકોનો સમાવેશ થાય છે. ટેકાના ભાવમાં આ વધારો વર્ષ ૨૦૨૫-૨૬ની ખરીફ સીઝન માટે કરાયો છે. જે વધારો કરાયો છે તે મુજબ ડાંગરમાં ૬૯, જુવારમાં ૩૨૮, બાજરીમાં ૧૫૦, રાગીમાં ૫૯૬, મકાઇ ૧૭૫, તુવેરમાં ૪૫૦, મગમાં ૮૬, કપાસમાં ૫૮૯નો વધારો કરાયો છે.