ઈડી અને ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સતત આઠમા દિવસે પણ નીરવ મોદી અને મેહુલ ચોક્સના વિવિધ ઠેકાણા, શોરૂમ અને સંપત્તિઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન ઈન્કમ ટેક્સ વિભાગે હૈદરાબાદ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન ખાતેની ગીતાંજલી જૂથની ૧,૨૦૦ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે જણાવ્યું હતું કે, પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા ૧૧,૩૦૦ કરોડના ફ્રોડમાં ચાલી રહેલી મની લોન્ડરિંગની તપાસના સંદર્ભમાં ઈડીએ નીરવ મોદી અને મેહુલ ચોકસી ગ્રૂપના રૂપિયા ૯૪.૫૨ કરોડના મ્યુચ્યુઅલ ફંડ, શેર અને કાર જપ્ત કર્યાં છે.
ઈડી અને ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સતત આઠમા દિવસે પણ નીરવ મોદી અને મેહુલ ચોક્સના વિવિધ ઠેકાણા, શોરૂમ અને સંપત્તિઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન ઈન્કમ ટેક્સ વિભાગે હૈદરાબાદ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન ખાતેની ગીતાંજલી જૂથની ૧,૨૦૦ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે જણાવ્યું હતું કે, પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા ૧૧,૩૦૦ કરોડના ફ્રોડમાં ચાલી રહેલી મની લોન્ડરિંગની તપાસના સંદર્ભમાં ઈડીએ નીરવ મોદી અને મેહુલ ચોકસી ગ્રૂપના રૂપિયા ૯૪.૫૨ કરોડના મ્યુચ્યુઅલ ફંડ, શેર અને કાર જપ્ત કર્યાં છે.