રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે એકવાર ફરીથી રામ મંદિર નિર્માણને લઈને મોટું નિવેદન આપ્યું છે. મોહન ભાગવતે કહ્યું કે, જો અયોધ્યામાં રામ મંદિર ફરીથી બનાવવામાં ન આવ્યું, તો આપણા સંસ્કૃતિના મૂળ કપાઈ જશે. ભાગવતે પાલઘર જિલ્લાના દહાણુમાં યોજાયેલ વિરાટ હિન્દુ સંમેલનને સંબોધિત કરતા આ કહ્યું હતું.