કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ઉશ્કેરણીજનક ભાષણો, ફેક ન્યૂઝ, અપમાનજનક પોસ્ટ અને દેશદ્રોહી પ્રવૃત્તિઓ અટકાવવા માટે ૧૫ જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં સોશિયલ મીડિયાને નિયંત્રિત કરતા નવા નિયમોને અંતિમ સ્વરૂપ આપી દેવાશે. સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, સરકાર નાગરિકોની અંગત બાબતો પર આક્રમણ કરવા માગતી નથી પરંતુ રાષ્ટ્રીય હિત અને અખંડતા સાથે અંગતતા સંતુલિત હોવી જોઈએ.
કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ઉશ્કેરણીજનક ભાષણો, ફેક ન્યૂઝ, અપમાનજનક પોસ્ટ અને દેશદ્રોહી પ્રવૃત્તિઓ અટકાવવા માટે ૧૫ જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં સોશિયલ મીડિયાને નિયંત્રિત કરતા નવા નિયમોને અંતિમ સ્વરૂપ આપી દેવાશે. સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, સરકાર નાગરિકોની અંગત બાબતો પર આક્રમણ કરવા માગતી નથી પરંતુ રાષ્ટ્રીય હિત અને અખંડતા સાથે અંગતતા સંતુલિત હોવી જોઈએ.