દેશભરમાં સાધ્વી પ્રજ્ઞા।ની મધ્ય પ્રદેશની ભોપાલ બેઠક પરથી ઉમેદવારીને મુદ્દે ચાલી રહેલી ચર્ચા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે સાધ્વી પ્રજ્ઞા।નો બચાવ કરતાં જણાવ્યું છે કે સાધ્વીને એક ખોટા કેસમાં ફસાવવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતાં સાધ્વી પ્રજ્ઞા। વિષે પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં અમિત શાહે જણાવ્યું હતું કે,’ જ્યાં સુધી સાધ્વી પ્રજ્ઞા।નો સવાલ છે તો હું કહેવા માગીશ કે હિંદુ ટેરરને નામે એક બનાવટી કેસ ઊભો કરવામાં આવ્યો હતો. વિશ્વમાં દેશની સંસ્કૃતિને બદનામ કરવામાં આવી. કોર્ટમાં કેસ ચાલ્યો તો કેસ બનાવટી હોવાનું સામે આવ્યું.સવાલ એ છે કે સ્વામી અસીમાનંદ અને બાકી લોકોને આરોપી બનાવીને બનાવટી કેસ ઊભો કરવામાં આવ્યો હતો. તો પછી સમજૌતા એક્સ્પ્રેસમાં વિસ્ફોટ કરનારા ખરા લોકો ક્યાં છે? જે લોકો આ કેસમાં ઝડપાયા હતા તેમને તોે છોડી મૂકવામાં આવ્યા છે.’ પશ્ચિમ બંગાળની જનતાને ભાજપને મત આપવાની અપીલ કરતાં તેમણે જણાવ્યું હતું કે જનતાએ રાજ્યમાં ડાબેરીઓને લાંબો સમય શાસન કરવાની તક આપી. તે પછી મમતા દીદી પર ભરોંસો કર્યો. તે બધાએ તમારો ભરાંેસો તોડયો છે. એકવાર ભાજપને પણ તક આપો તો રાજ્યને વિકાસના પથ પર લઈ જઈશું.
દેશભરમાં સાધ્વી પ્રજ્ઞા।ની મધ્ય પ્રદેશની ભોપાલ બેઠક પરથી ઉમેદવારીને મુદ્દે ચાલી રહેલી ચર્ચા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે સાધ્વી પ્રજ્ઞા।નો બચાવ કરતાં જણાવ્યું છે કે સાધ્વીને એક ખોટા કેસમાં ફસાવવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે એક પત્રકાર પરિષદને સંબોધતાં સાધ્વી પ્રજ્ઞા। વિષે પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં અમિત શાહે જણાવ્યું હતું કે,’ જ્યાં સુધી સાધ્વી પ્રજ્ઞા।નો સવાલ છે તો હું કહેવા માગીશ કે હિંદુ ટેરરને નામે એક બનાવટી કેસ ઊભો કરવામાં આવ્યો હતો. વિશ્વમાં દેશની સંસ્કૃતિને બદનામ કરવામાં આવી. કોર્ટમાં કેસ ચાલ્યો તો કેસ બનાવટી હોવાનું સામે આવ્યું.સવાલ એ છે કે સ્વામી અસીમાનંદ અને બાકી લોકોને આરોપી બનાવીને બનાવટી કેસ ઊભો કરવામાં આવ્યો હતો. તો પછી સમજૌતા એક્સ્પ્રેસમાં વિસ્ફોટ કરનારા ખરા લોકો ક્યાં છે? જે લોકો આ કેસમાં ઝડપાયા હતા તેમને તોે છોડી મૂકવામાં આવ્યા છે.’ પશ્ચિમ બંગાળની જનતાને ભાજપને મત આપવાની અપીલ કરતાં તેમણે જણાવ્યું હતું કે જનતાએ રાજ્યમાં ડાબેરીઓને લાંબો સમય શાસન કરવાની તક આપી. તે પછી મમતા દીદી પર ભરોંસો કર્યો. તે બધાએ તમારો ભરાંેસો તોડયો છે. એકવાર ભાજપને પણ તક આપો તો રાજ્યને વિકાસના પથ પર લઈ જઈશું.