-
તાજેતરમાં જ હિમાચલમાં એક સ્કૂલ બસ ખીણમાં ગબડી પડતા 26 બાળકો માર્યા ગયા હતા. આવા જ એક અન્ય કિસ્સામાં 13 વિદ્યાર્થીઓ ભોગ બન્યા છે. આ ઘટના બની છે યુપીના કુશીનગર વિસ્તારમાં. દુદહી રેલવે સ્ટેશનની નજીકના રેલવે ફાટક પાસે. ઘટના વખતે કોઇ ગેટમેન હાજર નહોતો. ડિવાઇન સ્કૂલની બસના ડ્રાઇવરે કહેવાય છે કે કાનમાં ઇયરફોન લગાવ્યાં હતા. જેના કારણે તેને ટ્રેનનો અવાજ સંભળાઇ શક્યો નહોતો. જો કે તેને ટ્રેન તો દેખાઇ જ હશે. પરંતુ ઉતાવળ અને હું નિકળી જઇશ એવા કોઇ આત્મ વિશ્વાસકે ડંફાશમાં રહ્યો હશે અને રેલવેના પાટા પરથી વાહન ઝડપથી પસાર કરવાની ઉતાવળમાં ટ્રેન સાથે ટક્કર થઇ ગઇ. નિર્દોષ 13 વિદ્યાર્થીઓ કે તેમાંથી કોઇ ડોક્ટર-એન્જીનિયર બનવાના સપના જોયા હશે તેઓ વાહનચાલકની એક બેદરકારીનો ભોગ બની ગયા. મીની બસમાં 18 કરતામ વધારે વિદ્યાર્થીઓ હતા. યુપી સરકારે મૃતકોના પરિવારને બબ્બે લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.
-
તાજેતરમાં જ હિમાચલમાં એક સ્કૂલ બસ ખીણમાં ગબડી પડતા 26 બાળકો માર્યા ગયા હતા. આવા જ એક અન્ય કિસ્સામાં 13 વિદ્યાર્થીઓ ભોગ બન્યા છે. આ ઘટના બની છે યુપીના કુશીનગર વિસ્તારમાં. દુદહી રેલવે સ્ટેશનની નજીકના રેલવે ફાટક પાસે. ઘટના વખતે કોઇ ગેટમેન હાજર નહોતો. ડિવાઇન સ્કૂલની બસના ડ્રાઇવરે કહેવાય છે કે કાનમાં ઇયરફોન લગાવ્યાં હતા. જેના કારણે તેને ટ્રેનનો અવાજ સંભળાઇ શક્યો નહોતો. જો કે તેને ટ્રેન તો દેખાઇ જ હશે. પરંતુ ઉતાવળ અને હું નિકળી જઇશ એવા કોઇ આત્મ વિશ્વાસકે ડંફાશમાં રહ્યો હશે અને રેલવેના પાટા પરથી વાહન ઝડપથી પસાર કરવાની ઉતાવળમાં ટ્રેન સાથે ટક્કર થઇ ગઇ. નિર્દોષ 13 વિદ્યાર્થીઓ કે તેમાંથી કોઇ ડોક્ટર-એન્જીનિયર બનવાના સપના જોયા હશે તેઓ વાહનચાલકની એક બેદરકારીનો ભોગ બની ગયા. મીની બસમાં 18 કરતામ વધારે વિદ્યાર્થીઓ હતા. યુપી સરકારે મૃતકોના પરિવારને બબ્બે લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.