મોબાઇલ કનેક્શન અથવા બેન્કખાતા માટે ગ્રાહક પાસે ઓળખ અને સરનામાના પુરાવા તરીકે પાસપોર્ટ અથવા રેશનકાર્ડને સ્થાને માત્ર આધારકાર્ડની માગણી કરનાર ટેલિકોમ કંપનીઓ અને બેન્કને રૂપિયા ૧ કરોડનો દંડ ફટકારાશે અને તેના સ્ટાફને ૩થી ૧૦ વર્ષ જેલની સજા થઈ શકે છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા કાયદામાં કરાયેલા સુધારામાં કેવાયસી માટે ગ્રાહકને આધારકાર્ડ માટે ફરજ પાડનાર કંપની અથવા બેન્કને દંડ અને સ્ટાફને જેલની સજા કરવાનો પ્રસ્તાવ છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આધાર પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને ધ્યાનમાં લેતાં ઈન્ડિયન ટેલિગ્રાફ એક્ટ અને પીએમએલએમાં સુધારાને મંજૂરી અપાઈ છે.
મોબાઇલ કનેક્શન અથવા બેન્કખાતા માટે ગ્રાહક પાસે ઓળખ અને સરનામાના પુરાવા તરીકે પાસપોર્ટ અથવા રેશનકાર્ડને સ્થાને માત્ર આધારકાર્ડની માગણી કરનાર ટેલિકોમ કંપનીઓ અને બેન્કને રૂપિયા ૧ કરોડનો દંડ ફટકારાશે અને તેના સ્ટાફને ૩થી ૧૦ વર્ષ જેલની સજા થઈ શકે છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા કાયદામાં કરાયેલા સુધારામાં કેવાયસી માટે ગ્રાહકને આધારકાર્ડ માટે ફરજ પાડનાર કંપની અથવા બેન્કને દંડ અને સ્ટાફને જેલની સજા કરવાનો પ્રસ્તાવ છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આધાર પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને ધ્યાનમાં લેતાં ઈન્ડિયન ટેલિગ્રાફ એક્ટ અને પીએમએલએમાં સુધારાને મંજૂરી અપાઈ છે.