-
જસ્ટિસ લોયાના કેસમાં સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ ફેસબુક પર એક વિવાદી કાર્ટૂન મુકવાના આરોપસર છત્તીસગઢ ના કાંકેર જિલ્લામાં ભૂમકલ સમાચારનામની એક પત્રિકા ના સંપાદક કમલ શુકલા ની સામે દેશદ્રોહનો ગુનો નોંધાયો છે. રાજસ્થાનના ચુરુ નિવાસી પુનિત જાંગીડ ની ફરીયાદ ના પગલે દેશદ્રોહનો કેસ તેમની સામે નોંધાયો છે. શુક્લાએ કહ્યું કે જસ્ટિસ લોયાની મોત અંગે સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ તેમણે ન્યાયતંત્રના સંદર્ભમાં એક કાર્ટૂન ફેસબુક પર મૂક્યું હતું. જો કે ત્યારબાદ તેમને આ કાર્ટૂન હટાવી લીધું હતું. કાર્ટૂનમાં કાંઈ એવું નહોતું કે દેશદ્રોહનો ગુનો થાય એમ પણ તેમને કહ્યું હતું. તેઓ પત્રકાર સુરક્ષા સંગઠનની સાથે પણ જોડાયેલા છે.
-
જસ્ટિસ લોયાના કેસમાં સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ ફેસબુક પર એક વિવાદી કાર્ટૂન મુકવાના આરોપસર છત્તીસગઢ ના કાંકેર જિલ્લામાં ભૂમકલ સમાચારનામની એક પત્રિકા ના સંપાદક કમલ શુકલા ની સામે દેશદ્રોહનો ગુનો નોંધાયો છે. રાજસ્થાનના ચુરુ નિવાસી પુનિત જાંગીડ ની ફરીયાદ ના પગલે દેશદ્રોહનો કેસ તેમની સામે નોંધાયો છે. શુક્લાએ કહ્યું કે જસ્ટિસ લોયાની મોત અંગે સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ તેમણે ન્યાયતંત્રના સંદર્ભમાં એક કાર્ટૂન ફેસબુક પર મૂક્યું હતું. જો કે ત્યારબાદ તેમને આ કાર્ટૂન હટાવી લીધું હતું. કાર્ટૂનમાં કાંઈ એવું નહોતું કે દેશદ્રોહનો ગુનો થાય એમ પણ તેમને કહ્યું હતું. તેઓ પત્રકાર સુરક્ષા સંગઠનની સાથે પણ જોડાયેલા છે.