અમદાવાદમાં ૧૨ જૂને એર ઈન્ડિયાના વિમાન અકસ્માતમાં ૨૭૮થી વધુ લોકોનાં મોત થયા હતા. આ દુર્ઘટનાના પગલે ટાટા ગ્રૂપે સાડા ત્રણ વર્ષ પહેલાં ખરીદેલી એરલાઈન્સ એર ઈન્ડિયા સૌથી મોટી મુશ્કેલીમાં મુકાઈ છે. એર ઈન્ડિયાએ મંગળવારે ટેકનિકલ કારણોસર લંડન અને પેરિસ જતી ફ્લાઈટ્સ સાથે એક જ દિવસમાં સાત ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી હતી. આ સાતમાંથી છ વિમાન બોઈંગ ૭૮૮ ડ્રીમલારીનર હતા, જેને ગયા સપ્તાહે અમદાવાદમાં અકસ્માત નડયો હતો. અમદાવાદના વિમાન અકસ્માત પછી લોકો હવાઈ પ્રવાસ કરતા ડરી રહ્યા છે ત્યારે એર ઈન્ડિયાની ફ્લાઈટ્સમાં ટેકનિકલ ખામીએ લોકોની ચિંતા વધારી છે.