જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં શનિવારે સુરક્ષાદળો સાથેની અથડામણમાં અલ-કાયદા સાથે સંકળાયેલ ઝાકીર મૂસાનાં આતંકવાદી સંગઠન અન્સાર ગઝવત ઉલ હિંદના ૬ આતંકવાદી ઠાર મરાયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં ઝાકીર મૂસાના જમણા હાથ સમાન સોલિહાનો સમાવેશ થાય છે. કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું હતું કે, શનિવારે ત્રાલ વિસ્તારમાં હાથ ધરાયેલાં ઓપરેશનમાં ૬ આતંકવાદી ઠાર મરાયા હતા, તેમની પાસેથી શસ્ત્રો અને યુદ્ધમાં વપરાય તેવા વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં શનિવારે સુરક્ષાદળો સાથેની અથડામણમાં અલ-કાયદા સાથે સંકળાયેલ ઝાકીર મૂસાનાં આતંકવાદી સંગઠન અન્સાર ગઝવત ઉલ હિંદના ૬ આતંકવાદી ઠાર મરાયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં ઝાકીર મૂસાના જમણા હાથ સમાન સોલિહાનો સમાવેશ થાય છે. કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું હતું કે, શનિવારે ત્રાલ વિસ્તારમાં હાથ ધરાયેલાં ઓપરેશનમાં ૬ આતંકવાદી ઠાર મરાયા હતા, તેમની પાસેથી શસ્ત્રો અને યુદ્ધમાં વપરાય તેવા વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.