-
આતંકવાદગ્રસ્ત જમ્મુ-કાશ્મિરના ખીણ પ્રદેશ શોપિયાન વિસ્તારમાં આતંકીઓને બચાવવા જવાનો પર પથ્થરમારાની સતત ઘટનાઓમાં હવે સ્કૂલ બસ પર પથ્થરમારાની ઘટના બની છે .જેમાં એક વિદ્યાર્થી ઘવાયો છે. શોપિયાનમાં કનીપોરા ગામ નજીક કેટલાક તોફાની તત્વોએ રેઇનબો હાઇસ્કૂલની બસ પર પથ્થરમારો કરતાં વિદ્યાર્થીઓમાં ભય વ્યાપી ગયો હતો. આ હુમલામાં એક વિદ્યાર્થી ઘવાયો હતો. મુખ્યમંત્રી મહેબૂબાએ તેને કાયરતાની નિશાની ગણાવીને હુમલાખોરોને સજા કરાશે તેવી ખાતરી પણ આપી હતી. આમ કાશ્મિરમાં હવે બાળકોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.
-
આતંકવાદગ્રસ્ત જમ્મુ-કાશ્મિરના ખીણ પ્રદેશ શોપિયાન વિસ્તારમાં આતંકીઓને બચાવવા જવાનો પર પથ્થરમારાની સતત ઘટનાઓમાં હવે સ્કૂલ બસ પર પથ્થરમારાની ઘટના બની છે .જેમાં એક વિદ્યાર્થી ઘવાયો છે. શોપિયાનમાં કનીપોરા ગામ નજીક કેટલાક તોફાની તત્વોએ રેઇનબો હાઇસ્કૂલની બસ પર પથ્થરમારો કરતાં વિદ્યાર્થીઓમાં ભય વ્યાપી ગયો હતો. આ હુમલામાં એક વિદ્યાર્થી ઘવાયો હતો. મુખ્યમંત્રી મહેબૂબાએ તેને કાયરતાની નિશાની ગણાવીને હુમલાખોરોને સજા કરાશે તેવી ખાતરી પણ આપી હતી. આમ કાશ્મિરમાં હવે બાળકોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.