ભારતમાં આપઘાતની કોશિશ હવે ગુનો નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માનસિક ચિકિત્સા અધિનિયમ-2017નું નોટિફિકેશન જાહેર કરી દીધું હોવાથી આપઘાતનો પ્રયાસ બિનઆપરાધિક જાહેર કરાયું છે. આ કાયદો માનસિકરૂપથી બીમાર બાળકોની સારવાર માટે વીજળીના ઝાટકા આપવાની પદ્ધતિ પર પણ પ્રતિબંધ લગાવે છે. આ કાયદો કહે છે કે પુખ્તોના મામલામાં પણ આવા પ્રકારની સારવાર એનેસ્થેસિયા અને માંસપેશીઓને આરામ આપનારી દવાઓ સાથે કરવી જોઈએ.