-
ભાજપ અને સંઘ પરિવાર સાથે જોડાયેલા જાણીતા આધ્યાત્મિક ગુરૂ ભય્યુજી મહારાજે જાતે ગોળી મારીને ગઇકાલે 12 જૂને આત્મહત્યા કરતા તેના પગલે વિવાદ શરૂ થયો છે. આજે બુધવારે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાયા ત્યારે ભાજપના ઘણાં નેતાઓ હાજર રહ્યાં હતા. દરમ્યાનમાં તેમના અનુયાયીઓએ શંકા વ્યક્ત કરી છે કે તેમના ગુરૂ કાયર નહોતા. તેઓ આવું પગલું ભરે જ નહીં. તેમની હત્યા થઇ હોવી જોઇએ, તેથી સમગ્ર બાબતની સીબીઆઇ તપાસ થવી જોઇએ. નોંધનીય છે તે તેમણે આત્મહત્યા પહેલા એક નોંધ પણ લખી હતી જેમાં તેઓ માનસિક રીતે ત્રસ્ત બન્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. મધ્યપ્રદેશ સરકારની સામે તેમણે ભ્રષ્ટાચારના મામલે અવાજ પણ ઉઠાવ્યો હતો. મધ્યપ્રદેશ સરકારે તેમને મંત્રી પદનો દરજ્જો પણ આપ્યો હતો.
-
ભાજપ અને સંઘ પરિવાર સાથે જોડાયેલા જાણીતા આધ્યાત્મિક ગુરૂ ભય્યુજી મહારાજે જાતે ગોળી મારીને ગઇકાલે 12 જૂને આત્મહત્યા કરતા તેના પગલે વિવાદ શરૂ થયો છે. આજે બુધવારે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાયા ત્યારે ભાજપના ઘણાં નેતાઓ હાજર રહ્યાં હતા. દરમ્યાનમાં તેમના અનુયાયીઓએ શંકા વ્યક્ત કરી છે કે તેમના ગુરૂ કાયર નહોતા. તેઓ આવું પગલું ભરે જ નહીં. તેમની હત્યા થઇ હોવી જોઇએ, તેથી સમગ્ર બાબતની સીબીઆઇ તપાસ થવી જોઇએ. નોંધનીય છે તે તેમણે આત્મહત્યા પહેલા એક નોંધ પણ લખી હતી જેમાં તેઓ માનસિક રીતે ત્રસ્ત બન્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. મધ્યપ્રદેશ સરકારની સામે તેમણે ભ્રષ્ટાચારના મામલે અવાજ પણ ઉઠાવ્યો હતો. મધ્યપ્રદેશ સરકારે તેમને મંત્રી પદનો દરજ્જો પણ આપ્યો હતો.