ફિલ્મ પદ્માવતીનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે ત્યારે કોર્ટે શુક્રવારે આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. ફિલ્મની રિલીઝ સામે સ્ટે માગતી અરજી ફગાવતાં કોર્ટે કહ્યું હતું કે, હજી તો ફિલ્મને સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ પણ મળ્યું નથી તે પહેલાં કોઈ નિર્ણય લઈ શકાય નહીં. કોઈપણ ફિલ્મને સર્ટિફિકેટ આપતાં પહેલાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા તેનાં તમામ પાસાં વિચારવામાં આવે છે.
ફિલ્મ પદ્માવતીનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે ત્યારે કોર્ટે શુક્રવારે આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. ફિલ્મની રિલીઝ સામે સ્ટે માગતી અરજી ફગાવતાં કોર્ટે કહ્યું હતું કે, હજી તો ફિલ્મને સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ પણ મળ્યું નથી તે પહેલાં કોઈ નિર્ણય લઈ શકાય નહીં. કોઈપણ ફિલ્મને સર્ટિફિકેટ આપતાં પહેલાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા તેનાં તમામ પાસાં વિચારવામાં આવે છે.