-
સુપ્રિમ કોર્ટમાં આજે એસસી-એસટી એટ્રોસીટી નિવારણ એક્ટના મામલે સરકારે કરેલી સમીક્ષા રીટ પીટીશનની સુનાવણી બપોર બાદ હાથ ધરાઇ ત્યારે કોર્ટે પોતાના અગાઉના નિર્ણય સામે કોઇ મનાઇ હુક્મ આપવાનો ઇન્કાર કર્યો હતો. એટલુ જ નહીં પણ તેમાં કોઇ સુધારો કરવાનો ઇન્કાર કરીને અવલોકન કર્યું હતું કે કોઇ નિર્દોષને સજા થવી ના જોઇએ. વધુ સુનાવણી હવે 11મી એપ્રિલે હાથ ધરાશે. આમ એક તરફ દલિતોમાં સુપ્રિમના નિર્ણય સામે રોષ યથાવત છે ત્યારે સરકારને આજે આ અંગે કોઇ રાહત મળી નથી. નોંધનીય છે કે કોર્ટે 20 માર્ચના રોજ કેન્દ્ર દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા નેશનલ ક્રાઇમ બ્યૂરોના આંકડા આપીને કહ્યું હતું કે એટ્રોસીટી કાયદાનો દુરૂપયોગ થાય છે. અને હવે એ જ સરકારે કોર્ટને તેના નિર્ણયની સમીક્ષા કરવાની અપીલ કરી છે. કોર્ટના આ વલણથી ભાજપ સરકારની મુશ્કેલીઓ વધવાની શક્યતા છે.
-
સુપ્રિમ કોર્ટમાં આજે એસસી-એસટી એટ્રોસીટી નિવારણ એક્ટના મામલે સરકારે કરેલી સમીક્ષા રીટ પીટીશનની સુનાવણી બપોર બાદ હાથ ધરાઇ ત્યારે કોર્ટે પોતાના અગાઉના નિર્ણય સામે કોઇ મનાઇ હુક્મ આપવાનો ઇન્કાર કર્યો હતો. એટલુ જ નહીં પણ તેમાં કોઇ સુધારો કરવાનો ઇન્કાર કરીને અવલોકન કર્યું હતું કે કોઇ નિર્દોષને સજા થવી ના જોઇએ. વધુ સુનાવણી હવે 11મી એપ્રિલે હાથ ધરાશે. આમ એક તરફ દલિતોમાં સુપ્રિમના નિર્ણય સામે રોષ યથાવત છે ત્યારે સરકારને આજે આ અંગે કોઇ રાહત મળી નથી. નોંધનીય છે કે કોર્ટે 20 માર્ચના રોજ કેન્દ્ર દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા નેશનલ ક્રાઇમ બ્યૂરોના આંકડા આપીને કહ્યું હતું કે એટ્રોસીટી કાયદાનો દુરૂપયોગ થાય છે. અને હવે એ જ સરકારે કોર્ટને તેના નિર્ણયની સમીક્ષા કરવાની અપીલ કરી છે. કોર્ટના આ વલણથી ભાજપ સરકારની મુશ્કેલીઓ વધવાની શક્યતા છે.