સાત રાજ્યો અને એક સંઘ પ્રદેશમાં રહેતા હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપવા માગતી જાહેર હિતની અરજીને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી હતી. અરજીને ફગાવતા સર્વોચ્ચ અદાલતે અરજદાર દિલ્હી ભારતીય જનતા પાર્ટીના નેતા અને વકીલ અશ્વીની કુમાર ઉપાધ્યાયને રાષ્ટ્રીય લઘુમતી પંચ સમક્ષ પોતાની વાત કહેવા કોર્ટે સલાહ આપી હતી. વસ્તી ગણતરી, ૨૦૧૧ અનુસાર જ્યાં હિન્દુઓની વસ્તી ઘટી હતી તેવા સાત રાજ્યો અને એક સંઘ પ્રદેશમાં હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપવાની ઉપાધ્યાયે અરજી કરી હતી.
સાત રાજ્યો અને એક સંઘ પ્રદેશમાં રહેતા હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપવા માગતી જાહેર હિતની અરજીને સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી હતી. અરજીને ફગાવતા સર્વોચ્ચ અદાલતે અરજદાર દિલ્હી ભારતીય જનતા પાર્ટીના નેતા અને વકીલ અશ્વીની કુમાર ઉપાધ્યાયને રાષ્ટ્રીય લઘુમતી પંચ સમક્ષ પોતાની વાત કહેવા કોર્ટે સલાહ આપી હતી. વસ્તી ગણતરી, ૨૦૧૧ અનુસાર જ્યાં હિન્દુઓની વસ્તી ઘટી હતી તેવા સાત રાજ્યો અને એક સંઘ પ્રદેશમાં હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપવાની ઉપાધ્યાયે અરજી કરી હતી.