-
દેશ આખામાં નિર્ભયા કાંડ બાદ સૌથી વધારે ઘાતક અને જઘન્ય કઠુઆ રેપ કેસ તપાસ માટે સુપ્રિમ કોર્ટે સીબીઆઇને સોંપવાનો ઇન્કાર કર્યો છે. કોર્ટે આ કેસમાં કોઇ અંતરાયો ના આવે અને સાક્ષીઓ કોઇનો ડર રાખ્યા વગર જુબાની આપી શકે તે માટે આ ચર્ચાસ્પદ કેસ જમ્મુ-કાશ્મીરમાંથી તબદીલ કરીને પંજાબના પઠાનકોટની કોર્ટમાં ચલાવવાનો હુક્મ કર્યો છે. નોંધનીય છે કે જમ્મુ નજીક કઠુઆમાં એક વિચરતી લઘુમતિ કોમ બકરવાલની 8 વર્ષની બાળાનું અપહરણ કરીને મંદિરના પૂજારી અને તેના અન્ય સાગરિતો તથા એક પોલીસ કર્મીએ મંદિરમાં જ સામૂહિક બળાત્કાર ગુજારી બાળકીની હત્યા કરી નાંખી હતી. ભોગ બનેલી બાળાના માતાએ પણ આ કેસ સીબીઆઇને સોંપવા ઇન્કાર કર્યો હતો.
-
દેશ આખામાં નિર્ભયા કાંડ બાદ સૌથી વધારે ઘાતક અને જઘન્ય કઠુઆ રેપ કેસ તપાસ માટે સુપ્રિમ કોર્ટે સીબીઆઇને સોંપવાનો ઇન્કાર કર્યો છે. કોર્ટે આ કેસમાં કોઇ અંતરાયો ના આવે અને સાક્ષીઓ કોઇનો ડર રાખ્યા વગર જુબાની આપી શકે તે માટે આ ચર્ચાસ્પદ કેસ જમ્મુ-કાશ્મીરમાંથી તબદીલ કરીને પંજાબના પઠાનકોટની કોર્ટમાં ચલાવવાનો હુક્મ કર્યો છે. નોંધનીય છે કે જમ્મુ નજીક કઠુઆમાં એક વિચરતી લઘુમતિ કોમ બકરવાલની 8 વર્ષની બાળાનું અપહરણ કરીને મંદિરના પૂજારી અને તેના અન્ય સાગરિતો તથા એક પોલીસ કર્મીએ મંદિરમાં જ સામૂહિક બળાત્કાર ગુજારી બાળકીની હત્યા કરી નાંખી હતી. ભોગ બનેલી બાળાના માતાએ પણ આ કેસ સીબીઆઇને સોંપવા ઇન્કાર કર્યો હતો.