-
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આજે સંસદમાં જણાવ્યું હતું કે પાક.ની જેલમાં બંધ ભારતના નાગરિક કુલભૂષણ જાધવના માતા અને પત્ની જ્યારે તેમને મળવા જેલમાં ગયા ત્યારે પાક. સત્તાવાળાઓ દ્વારા તેમનું ઘોર અપમાન કરાયું તે વાત સાચી છે. તેમની બંગડીઓ, મંગળસૂત્ર, અને ચાંદલો પણ ઉતારી લઇને તેમને વસ્ત્રો બદલાવીને ત્યારબાદ જાધવ સાથે મુલાકાત થઇ હતી. તેમની સાથે અમાનવીય વ્યવહાર કરાયો હતો. પાક. મિડિયાએ પણ જાધવના માતાનું કાતિલ કી મા કહીને અપમાન કર્યું હતું. તેમણે કહ્યું કે જાધવની માતાએ જે જૂતા પહેર્યા હતા તે પણ પાક.સત્તાવાળાઓએ લઇને એવો આક્ષેપ કર્યો હતો કે તેમાં કોઇ શંકાસ્પદ વસ્તુ છે. મંત્રીએ પાક. પર પ્રહાર કરતાં કહ્યું કે આભાર માનો કે પાકિસ્તાને એમ નથી કહ્યું કે જૂતામાં બોંબ હતો. મુલાકાત માટે જે નક્કી થયું હતું તેનું પાકિસ્તાને પાલન કર્યું નથી.
-
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આજે સંસદમાં જણાવ્યું હતું કે પાક.ની જેલમાં બંધ ભારતના નાગરિક કુલભૂષણ જાધવના માતા અને પત્ની જ્યારે તેમને મળવા જેલમાં ગયા ત્યારે પાક. સત્તાવાળાઓ દ્વારા તેમનું ઘોર અપમાન કરાયું તે વાત સાચી છે. તેમની બંગડીઓ, મંગળસૂત્ર, અને ચાંદલો પણ ઉતારી લઇને તેમને વસ્ત્રો બદલાવીને ત્યારબાદ જાધવ સાથે મુલાકાત થઇ હતી. તેમની સાથે અમાનવીય વ્યવહાર કરાયો હતો. પાક. મિડિયાએ પણ જાધવના માતાનું કાતિલ કી મા કહીને અપમાન કર્યું હતું. તેમણે કહ્યું કે જાધવની માતાએ જે જૂતા પહેર્યા હતા તે પણ પાક.સત્તાવાળાઓએ લઇને એવો આક્ષેપ કર્યો હતો કે તેમાં કોઇ શંકાસ્પદ વસ્તુ છે. મંત્રીએ પાક. પર પ્રહાર કરતાં કહ્યું કે આભાર માનો કે પાકિસ્તાને એમ નથી કહ્યું કે જૂતામાં બોંબ હતો. મુલાકાત માટે જે નક્કી થયું હતું તેનું પાકિસ્તાને પાલન કર્યું નથી.