વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ સંકેત આપ્યા અનુસાર શનિવારે જીએસટી કાઉન્સિલની ૩૧મી બેઠકમાં ૩૯ આઇટમ પરના જીએસટી દરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો હતો. જીએસટી કાઉન્સિલે ૧૮ ટકાના સ્લેબમાં આવતી ૩૩ આઇટમને ૧૨ અને પાંચ ટકા તથા ૬ આઇટમને ૨૮ ટકાના સ્લેબમાંથી ૧૮ ટકાના સ્લેબમાં સમાવવાની જાહેરાત કરી છે. જીએસટી કાઉન્સિલની બેઠક બાદ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, જીએસટી કાઉન્સિલે ૨૮ ટકાના સ્લેબમાં રહેલી સાત આઇટમ પરનો દર ઘટાડીને ૧૮ ટકા કરવાનો નિર્ણય કર્યો છે તેથી હવે સર્વોચ્ચ સ્લેબમાં ફક્ત ૨૮ આઇટમ બાકી રહી જાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ સંકેત આપ્યા અનુસાર શનિવારે જીએસટી કાઉન્સિલની ૩૧મી બેઠકમાં ૩૯ આઇટમ પરના જીએસટી દરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો હતો. જીએસટી કાઉન્સિલે ૧૮ ટકાના સ્લેબમાં આવતી ૩૩ આઇટમને ૧૨ અને પાંચ ટકા તથા ૬ આઇટમને ૨૮ ટકાના સ્લેબમાંથી ૧૮ ટકાના સ્લેબમાં સમાવવાની જાહેરાત કરી છે. જીએસટી કાઉન્સિલની બેઠક બાદ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, જીએસટી કાઉન્સિલે ૨૮ ટકાના સ્લેબમાં રહેલી સાત આઇટમ પરનો દર ઘટાડીને ૧૮ ટકા કરવાનો નિર્ણય કર્યો છે તેથી હવે સર્વોચ્ચ સ્લેબમાં ફક્ત ૨૮ આઇટમ બાકી રહી જાય છે.