જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે સવારે સેનાની એક ટુકડી પર આતંકવાદી હુમલો થયો છે. આ હુમલો કાઝિયાબાદના જંગલોમાં થયો છે. આતંકવાદી હુમલા બાદ સેનાએ વળતો જવાબ આપ્યો છે. જેમાં બે આતંકવાદીઓના મોત થયા છે. સેનાએ આ વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે અને બધા જ સ્થાનો પર તપાસ કરવામાં આવી રહી છે.