Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કલકત્તા હાઇકોર્ટે ગુરુવારે ભાજપ દ્વારા પશ્ચિમ બંગાળમાં આયોજિત રથયાત્રા પર રોક લગાવી દીધી છે. ભાજપઅધ્યક્ષ અમિત શાહ શુક્રવારે કૂચબિહાર ખાતેથી ભાજપની રથયાત્રાને લીલી ઝંડી આપી રવાના કરવાના હતા. આ રથયાત્રા રાજ્યના ૨૪ જિલ્લામાંથી પસાર થવાની હતી. કલકત્તા હાઇકોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે, ભાજપની રથયાત્રા ૯મી જાન્યુઆરીએ ફરી સુનાવણી હાથ ધરાય ત્યાં સુધી કાઢી શકાશે નહીં. કલકત્તા હાઇકોર્ટ આ પહેલાં ૨૪ જિલ્લામાંથી મળેલા રિપોર્ટ પર વિચારણા કરશે. બીજી તરફ મમતા બેનરજી સરકારે ગુરુવારે કલકત્તા હાઇકોર્ટને જણાવ્યું હતું કે, સરકાર ભાજપની રથયાત્રાને પરવાનગી આપશે નહીં. રાજ્યના એડવોકેટ જનરલે સરકારના આ નિર્ણય અંગે જસ્ટિસ તપબ્રત ચક્રવર્તીને માહિતી આપી હતી.
 

કલકત્તા હાઇકોર્ટે ગુરુવારે ભાજપ દ્વારા પશ્ચિમ બંગાળમાં આયોજિત રથયાત્રા પર રોક લગાવી દીધી છે. ભાજપઅધ્યક્ષ અમિત શાહ શુક્રવારે કૂચબિહાર ખાતેથી ભાજપની રથયાત્રાને લીલી ઝંડી આપી રવાના કરવાના હતા. આ રથયાત્રા રાજ્યના ૨૪ જિલ્લામાંથી પસાર થવાની હતી. કલકત્તા હાઇકોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે, ભાજપની રથયાત્રા ૯મી જાન્યુઆરીએ ફરી સુનાવણી હાથ ધરાય ત્યાં સુધી કાઢી શકાશે નહીં. કલકત્તા હાઇકોર્ટ આ પહેલાં ૨૪ જિલ્લામાંથી મળેલા રિપોર્ટ પર વિચારણા કરશે. બીજી તરફ મમતા બેનરજી સરકારે ગુરુવારે કલકત્તા હાઇકોર્ટને જણાવ્યું હતું કે, સરકાર ભાજપની રથયાત્રાને પરવાનગી આપશે નહીં. રાજ્યના એડવોકેટ જનરલે સરકારના આ નિર્ણય અંગે જસ્ટિસ તપબ્રત ચક્રવર્તીને માહિતી આપી હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ