Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લદ્દાખમાં એલએસી પર ભારત અને ચીનની સેનાઓ વચ્ચે છેલ્લા ૭ સપ્તાહથી ચાલી રહેલા તણાવ મધ્યે લદ્દાખની ચોંકાવનારી મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ચીનને સ્પષ્ટ સંદેશો પાઠવતાં જણાવ્યું હતું કે, વિસ્તારવાદનો યુગ સમાપ્ત થઇ ગયો છે. ભારતના દુશ્મનોએ ભારતીય સેનાની આગ અને આક્રોશ જોયાં છે. ગાલવાન વેલીમાં ૧૫મી જૂનના રોજ ચીની સેનાની અથડામણમાં શહીદ થયેલા ૨૦ ભારતીય જવાનોને સલામી સાથે શ્રદ્ધાંજલિ આપી વડા પ્રધાને સેનાના જવાનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતીય સશસ્ત્રદળોની બહાદુરી અને પરાક્રમ દેશના દરેક હિસ્સામાં ગુંજી રહ્યાં છે. તાજેતરના સપ્તાહોમાં ભારતની સેનાએ બતાવેલી અસામાન્ય બહાદુરીના કારણે દુનિયાએ ભારતની ક્ષમતાની નોંધ લીધી છે. ઇતિહાસ બતાવે છે કે વિસ્તારવાદીઓ ક્યાં તો પરાજિત થયા છે અથવા તો નાશ પામ્યા છે. 
 

લદ્દાખમાં એલએસી પર ભારત અને ચીનની સેનાઓ વચ્ચે છેલ્લા ૭ સપ્તાહથી ચાલી રહેલા તણાવ મધ્યે લદ્દાખની ચોંકાવનારી મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ચીનને સ્પષ્ટ સંદેશો પાઠવતાં જણાવ્યું હતું કે, વિસ્તારવાદનો યુગ સમાપ્ત થઇ ગયો છે. ભારતના દુશ્મનોએ ભારતીય સેનાની આગ અને આક્રોશ જોયાં છે. ગાલવાન વેલીમાં ૧૫મી જૂનના રોજ ચીની સેનાની અથડામણમાં શહીદ થયેલા ૨૦ ભારતીય જવાનોને સલામી સાથે શ્રદ્ધાંજલિ આપી વડા પ્રધાને સેનાના જવાનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતીય સશસ્ત્રદળોની બહાદુરી અને પરાક્રમ દેશના દરેક હિસ્સામાં ગુંજી રહ્યાં છે. તાજેતરના સપ્તાહોમાં ભારતની સેનાએ બતાવેલી અસામાન્ય બહાદુરીના કારણે દુનિયાએ ભારતની ક્ષમતાની નોંધ લીધી છે. ઇતિહાસ બતાવે છે કે વિસ્તારવાદીઓ ક્યાં તો પરાજિત થયા છે અથવા તો નાશ પામ્યા છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ