મોદી સરકાર સંસદના શિયાળુ સત્રમાં મુસ્લિમોમાં ટ્રિપલ તલાકની પ્રથા પર રોક લગાવતો કાયદો ઘડવા ખરડો લાવે તેવી સંભાવના છે. સરકારમાં ઉચ્ચ સ્તરે આ મામલા પર ચાલી રહેલી ચર્ચા અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ટ્રિપલ તલાકના ઉચ્ચારણનો ભોગ બનતી પીડિતાઓને સંરક્ષણ આપવા સરકાર સંસદના શિયાળુ સત્રમાં ટ્રિપલ તલાક પર રોક લગાવતો ખરડો લાવી શકે છે.