રાજ્યમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી પૂરની ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. રાજ્યના 7 જિલ્લામાં પૂરની સ્થિતિ અને 26 લોકોના મોત થયા બાદ આજે અચાનક જ રૂપાણી સરકાર પૂરમાં ફસાયેલા લોકોની વહારે આવવા સક્રિય થઈ છે. મુખ્યપ્રધાને વરસાદને લઈ બેઠક બોલાવી હતી. આ બેઠક સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર ખાતે મળી હતી.
રાજ્યમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી પૂરની ગંભીર સ્થિતિ ઉભી થઈ છે. રાજ્યના 7 જિલ્લામાં પૂરની સ્થિતિ અને 26 લોકોના મોત થયા બાદ આજે અચાનક જ રૂપાણી સરકાર પૂરમાં ફસાયેલા લોકોની વહારે આવવા સક્રિય થઈ છે. મુખ્યપ્રધાને વરસાદને લઈ બેઠક બોલાવી હતી. આ બેઠક સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર ખાતે મળી હતી.