બે અબજ ડોલરના પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી નિરવ મોદી બ્રિટનમાં છે અને ત્યાં તે રાજકીય શરણ મેળવવાના પ્રયત્નો કરી રહ્યો છે તેમ મીડિયાના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંક સાથે બે અબજ ડોલરની છેતરપિંડી કરવા બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) નિરવ મોદી અને મેહુલ ચોક્સીની તપાસ કરી રહ્યું છે. ઇડી ઉપરાંત અન્ય એજન્સીઓ પણ નિરવ મોદી અને મેહુલ ચોક્સીની તપાસ કરી રહ્યાં છે.
બે અબજ ડોલરના પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી નિરવ મોદી બ્રિટનમાં છે અને ત્યાં તે રાજકીય શરણ મેળવવાના પ્રયત્નો કરી રહ્યો છે તેમ મીડિયાના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. દેશની બીજા નંબરની સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંક સાથે બે અબજ ડોલરની છેતરપિંડી કરવા બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી) નિરવ મોદી અને મેહુલ ચોક્સીની તપાસ કરી રહ્યું છે. ઇડી ઉપરાંત અન્ય એજન્સીઓ પણ નિરવ મોદી અને મેહુલ ચોક્સીની તપાસ કરી રહ્યાં છે.