જીએસટી કાઉન્સિલે કરમાળખામાં વ્યાપક સુધારાની ઘોષણા કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, જીએસટી કાઉન્સિલ દ્વારા કરાયેલી ભલામણોથી સામાન્ય જનતાને વધુ લાભ થશે અને કરમાળખું વધુ મજબૂત બનશે. સરકારની કામગીરીમાં જનતાની ભાગીદારી કેન્દ્રસ્થાને છે અને તેના દરેક નિર્ણય જનહિતમાં તથા જનતાને ધ્યાનમાં રાખીને જ લેવાય છે.