૧૯૮૪નાં શીખ રમખાણોમાં કોંગ્રેસનેતા સજ્જનકુમારને સજા કરવામાં આવ્યા પછી કોંગ્રેસ માટે મુશ્કેલીઓ સર્જાઈ છે. ભાજપે કોંગ્રેસને શીખ રમખાણો માટે જવાબદાર ઠેરવીને તેના પર આક્રમક પ્રહારો કર્યા છે. ભાજપનેતા જેટલીએ કહ્યું હતું કે, ૧૯૮૪નાં શીખ રમખાણોનાં પાપની સજા કોંગ્રેસ અને ગાંધી પરિવારે ભોગવતાં રહેવી પડશે. કોંગ્રેસ દ્વારા આરોપીઓને બચાવવા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે. જેટલીએ કમલનાથને એમપીના સીએમ બનાવવાના કોંગ્રેસના નિર્ણયો સામે સવાલો ઉઠાવ્યા હતા. કમલનાથે બપોર પછી મધ્ય પ્રદેશનાં મુખ્ય પ્રધાનપદે શપથ લીધા હતા. જેટલીએ કહ્યું કે ૮૪નાં રમખાણોનું સત્ય બહાર આવે તેમાં કોંગ્રેસને રસ નથી, જેટલીએ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો.
૧૯૮૪નાં શીખ રમખાણોમાં કોંગ્રેસનેતા સજ્જનકુમારને સજા કરવામાં આવ્યા પછી કોંગ્રેસ માટે મુશ્કેલીઓ સર્જાઈ છે. ભાજપે કોંગ્રેસને શીખ રમખાણો માટે જવાબદાર ઠેરવીને તેના પર આક્રમક પ્રહારો કર્યા છે. ભાજપનેતા જેટલીએ કહ્યું હતું કે, ૧૯૮૪નાં શીખ રમખાણોનાં પાપની સજા કોંગ્રેસ અને ગાંધી પરિવારે ભોગવતાં રહેવી પડશે. કોંગ્રેસ દ્વારા આરોપીઓને બચાવવા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે. જેટલીએ કમલનાથને એમપીના સીએમ બનાવવાના કોંગ્રેસના નિર્ણયો સામે સવાલો ઉઠાવ્યા હતા. કમલનાથે બપોર પછી મધ્ય પ્રદેશનાં મુખ્ય પ્રધાનપદે શપથ લીધા હતા. જેટલીએ કહ્યું કે ૮૪નાં રમખાણોનું સત્ય બહાર આવે તેમાં કોંગ્રેસને રસ નથી, જેટલીએ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો.