પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ માચી ખાતે માલવાહક રોપ વે શનિવારે તૂટી પડવાની ઘટનામાં છ લોકોના મોત થતા પંચમહાલ કલેકટર દ્વારા તપાસ સમિતિની રચના બાદ સમિતિના સભ્યો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
પાવાગઢમાં ગુડ્ઝ રોપ વેની દુર્ઘટના બાદ અકસ્માત કયા કારણોસર થયો તેની તપાસ માટે જિલ્લા કલેક્ટર દ્વારા ચાર સભ્યોની રચના કરવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ, કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન ઇલેક્ટ્રિકલ, કાર્યપાલક ઇજનેર મિકેનિકલ તેમજ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આમ ચાર સિનિયર અધિકારીઓની ટીમને બનાવની તપાસ કામગીરી સોંપવામાં આવી છે.
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ માચી ખાતે માલવાહક રોપ વે શનિવારે તૂટી પડવાની ઘટનામાં છ લોકોના મોત થતા પંચમહાલ કલેકટર દ્વારા તપાસ સમિતિની રચના બાદ સમિતિના સભ્યો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
પાવાગઢમાં ગુડ્ઝ રોપ વેની દુર્ઘટના બાદ અકસ્માત કયા કારણોસર થયો તેની તપાસ માટે જિલ્લા કલેક્ટર દ્વારા ચાર સભ્યોની રચના કરવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ, કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન ઇલેક્ટ્રિકલ, કાર્યપાલક ઇજનેર મિકેનિકલ તેમજ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર આમ ચાર સિનિયર અધિકારીઓની ટીમને બનાવની તપાસ કામગીરી સોંપવામાં આવી છે.