દર મહિને રાંધણગેસના ભાવ વધારવાનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો છે. સરકાર દ્વારા ગરીબોને તેની ઉજ્જવલા યોજના હેઠળ મફત એલપીજી કનેક્શન આપવાની યોજનામાં આ સિસ્ટમ અવરોધરૂપ અને ઉલટી હોવાથી સરકારે દર મહિને રાંધણગેસના ભાવ નહીં વધારવાનું નક્કી કર્યું છે. અગાઉ સરકારી ઓઈલ કંપનીઓને જૂન ૨૦૧૬થી દર મહિને એલપીજી સિલિન્ડરના ભાવમાં દર મહિને રૂ. ૪નો વધારો કરવાની સરકારે છૂટ આપી હતી. સરકારે આ આદેશને ઓક્ટોબરમાં પાછો ખેંચ્યો છે. આમ સરકારી ચાર ઓઈલ કંપનીઓએ ઓકટોબરથી એલપીજી સિલિન્ડરનાં ભાવમાં વધારો કર્યો નથી. દર મહિને એલપીજીના ભાવ વધારવા પાછળ સરકારનો હેતુ રાંધણગેસ પરની સબસિડી ઘટાડવાનો હતો.
દર મહિને રાંધણગેસના ભાવ વધારવાનો નિર્ણય સરકારે પાછો ખેંચ્યો છે. સરકાર દ્વારા ગરીબોને તેની ઉજ્જવલા યોજના હેઠળ મફત એલપીજી કનેક્શન આપવાની યોજનામાં આ સિસ્ટમ અવરોધરૂપ અને ઉલટી હોવાથી સરકારે દર મહિને રાંધણગેસના ભાવ નહીં વધારવાનું નક્કી કર્યું છે. અગાઉ સરકારી ઓઈલ કંપનીઓને જૂન ૨૦૧૬થી દર મહિને એલપીજી સિલિન્ડરના ભાવમાં દર મહિને રૂ. ૪નો વધારો કરવાની સરકારે છૂટ આપી હતી. સરકારે આ આદેશને ઓક્ટોબરમાં પાછો ખેંચ્યો છે. આમ સરકારી ચાર ઓઈલ કંપનીઓએ ઓકટોબરથી એલપીજી સિલિન્ડરનાં ભાવમાં વધારો કર્યો નથી. દર મહિને એલપીજીના ભાવ વધારવા પાછળ સરકારનો હેતુ રાંધણગેસ પરની સબસિડી ઘટાડવાનો હતો.